:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી

top-news
  • 27 Jul, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં નીતિ આયોગની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં બીજેપી શાસિત મુખ્યમંત્રીઓ સિવાય પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સામેલ થયા હતા. એવા સમાચાર છે કે મમતા બેનર્જી અડધી બેઠક છોડીને નીકળી ગયા હતા. એટલું જ નહીં મમતાએ આ દરમિયાન કહ્યું કે આવું કઈ રીતે ચાલી શકે ? મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે બેઠકમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમને બેઠકમાં બોલવાની તક પણ આપવામાં આવતી નથી. આવું કઈ રીતે ચાલી શકે ?

મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર મનમાની કરી રહી છે. મેં કહ્યું કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો સાથે ભેદભાવ ન કરવો જોઈએ. હું બોલવા માંગતી હતી પરંતુ મને માત્ર 5 મિનિટ જ બોલવા દીધી. મારાથી પહેલાના લોકોએ 10-20 મિનિટ સુધી વાત કરી હતી. વિપક્ષમાંથી હું એકલી હતી, જે આ બેઠકમાં ભાગ લઈ રહી હતી. જોકે તેમ છતાં મને બોલવા દીધી નહોતી. આ માત્ર બંગાળનું જ નહીં પરંતુ તમામ ક્ષેત્રીય દળોનું અપમાન છે.

નીતિ આયોગની આ બેઠકનો ઘણા વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ બજેટમાં ભેદભાવ થયો હોવાનો આરોપ લગાવીને બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. બહિષ્કાર કરનાર મુખ્યમંત્રીઓમાં તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિન, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજ્યનની સાથે-સાથે આમ આદમીની પાર્ટીની આગેવાની વાળી પંજાબ અને દિલ્હી સરકાર સામેલ છે. આ સિવાય કર્ણાટકના સિદ્ધારમૈયા, હિમાચલપ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુક્ખૂ અને તેલંગાનાના સીએમ રેવંત રેડ્ડીએ પણ બેઠકમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. 

જોકે આ બધાથી વિપરિત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બેઠકમાં સામેલ થવા પહોંચ્યા હતા. બેનર્જીએ કહ્યું હતું કે આ નેતાઓના અવાજને એક કોમન મંચ પર ઉઠાવવો જોઈએ. આ સિવાય મમતાએ માંગ કરી કે નીતિ આયોગને ખત્મ કરી દેવું જોઈએ અને  ફરીથી યોજના આયોગને માન્યતા આપવી જોઈએ.